📚ક્લાસ 3 ની પરીક્ષા માટે ઉપયોગી📚
૧ ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થાય?
- ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં
૨ ૧૯મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી?
- બ્રહ્મોસમાજ
૩ બ્રહ્મોસમાજના પ્રણેતા કોણ હતા? - રજા રામમોહનરાય
૪ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા?
- રાજા રામમોહનરાય
૫ બ્રહ્મોસમાજનું મૂળ નામ શું હતું?
- આત્મીય સભા (૧૮૧૫)
૬ રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે અને ક્યા થયું?
- ઈ.સ. ૧૮૩૩ અને બ્રિસ્ટોલ મુકામે
૭ બ્રહ્મોસમાજ દ્વારા કઈ પત્રિકા શરુ કરવામાં આવી?
- તત્વબોધિની પત્રિકા
૮ કોના જોડાવાથી બ્રહ્મોસમાજમાં નવો પ્રાણ પૂરાયો?
- દેવેન્દ્રનાથ ટાગોર
૯ કેશવચંદ્ર સેને કઈ નવી સ્નાસ્થાની સ્થાપના કરી?
- ભારતીય બ્રહ્મોસમાજ
૧૦ કોના પ્રયત્નોથી સતીપ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો?
- રાજા રામમોહનરાય
૧૧ ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું?
- બ્રહ્મોસમાજ
૧૨ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા?
- જ્યોતિબા ફૂલે
૧૩ જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી?
- સત્ય શોધક સમાજ
૧૪ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી?
- પૂણેમાં
૧૫ સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો?
- જ્યોતિબા ફૂલે
૧૬ અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
- જ્યોતિબા ફૂલે
૧૭ જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી?
- મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)
૧૮ ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા?
- જ્યોતિબા ફૂલે
૧૯ આર્યસમાજના સ્થાપક કોણ હતા?
- સ્વામી દયાનંદ સરસ્વતી
૨૦ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?
- મોરબી નજીક ટંકારા
૨૧ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું?
- મૂળશંકર
૨૨ દયાનંદ સરસ્વતીએ કયુ સૂત્ર આપ્યું?
- વેદ તરફ પાછા વળો
૨૩ પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શેમાં છે?
- વેદમાં
૨૪ કયું અધ્યયન સાચું અધ્યયન છે?
- વેદનું અધ્યયન
૨૫ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું?
- સત્યાર્થ પ્રકાશ
૨૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચળવળ શરુ કરી?
- શુદ્ધિ ચળવળ
૨૭ કાંગડી ગુરુકૂળની સ્થાપના કોણે અને ક્યા કરી?
- સ્વામી શ્રદ્ધાનંદ, હરદ્વાર પાસે
૨૮ એંગ્લો વૈદિક કોલેજ કોણે અને ક્યા શરુ કરી?
- લાહોરમાં અને લાલા હંસરાજે
૨૯ રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા?
- કોલકાતા પાસેના દક્ષિણેશ્વર મંદિરના
૩૦ સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા? - રામકૃષ્ણ પરમહંસ
૩૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
- સ્વામી વિવેકાનંદ (૧૮૯૭)
૩૨ વિશ્વ ધર્મ પરિષદ ક્યા યોજાઈ હતી?
- શિકાગો (૧૮૯૩)
૩૩ શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?
- સ્વામી વિવેકાનંદ
૩૪ વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
- નરેન્દ્રનાથ
૩૫ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો?
- ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો
૩૬ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો’. આ પંક્તિ કોની છે?
- સ્વામી વિવેકાનંદ
૩૭ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો?
- માનવસેવા એ જ પ્રભુ સેવા
૩૮ આ સંસ્થા ક્યા આદર્શમાં માને છે? - સેવા સુધારણામાં
૩૯ આ સંસ્થાનું વડું મથક કયા આવેલું છે?
- બેલૂર
૪૦ મિશનના લોકો કઈ આપતિઓ વખતે નિઃસ્વાર્થ સેવા કરે છે?
- પૂર, દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો વગેરે
૪૧ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃતિઓ કરે છે?
- સિસ્ટર નિવેદિતા
૪૨ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે?
- મહર્ષિ અરવિંદ
૪૩ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું? - અરવિંદ ઘોષ
૪૪ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો?
- વંદે માતરમ
૪૫ શ્રી અરવિંદે કયું અખબાર શરુ કર્યું હતું?
- વંદે માતરમ
Thank You Y.jadeja
📚gkdivyesh.blogspot.com📚
No comments:
Post a Comment